Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું સ્નેહમિલન યોજાશે

રાજકોટ તા.૨૮   રાજ્યના વેપાર-ઉદ્યોગના સર્વશ્રેષ્ઠ સંગઠન પૈકીનું એક રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સભ્ય પરિવારનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં તા.૧ માર્ચના રોજ સાંજે ૬ કલાકે નિરાલી રીસોર્ટ, વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજ કાલાવડ રોડ, રાજકોટ ખાતે પરંપરાગત વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા, પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, મેયરશ્રી બીનાબેન આચાર્ય અને ધારાસભ્યો સર્વેશ્રી ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થ ગણાત્રા, માનદ્ મંત્રીશ્રી નૌતમ બારસીયાની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.

(6:33 pm IST)