Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

શ્રીજી ગૌશાળાના ટ્રસ્ટી અને કંસારા ડેલાવાળા પરિવારના અગ્રણી વિનુભાઈ ડેલાવાળાનું દુઃખદ અવસાન

ગુરૂવારે સવારે ૯ થી ૧૧ રાષ્ટ્રીયશાળા ખાતે બેસણું

રાજકોટઃ કસ્તુરચંદ ખેતશીભાઈ ડેલાવાળા પરિવારના સભ્ય, શ્રીજી ગૌશાળાના ટ્રસ્ટી, મેટલ મર્ચન્ટ એસો.ના પૂર્વ પ્રમુખ સમસ્ત કંસારા જ્ઞાતિના અગ્રણી અને ભાજપના સેવાભાવી અગ્રણી વિનોદરાય કસ્તુરચંદ ડેલાવાળાનું ૬૨ વર્ષની વયે ગઈસાંજે દુઃખદ અવસાન થયું છે. બહોળા મિત્ર વર્તુળમાં તેઓ વિનુભાઈના નામે ઓળખાતા હતા. સ્વ.વિનુભાઈના નિધનથી સમાજે એક સેવક ગુમાવ્યો છે. સ્વ.વિનુભાઈ તેમના પત્ની ભારતીબેન, પુત્ર દીપ અને પુત્રવધુ અર્પિતા તેમજ સમગ્ર ડેલાવાળા પરિવારને રડતા મૂકીને ગૌલોકવાસ સિધાવી ગયા છે.

૨૬મી માર્ચ ૧૯૫૮માં ચૈત્ર સુદ ૬ના દિવસે જન્મેલા સ્વ.વિનોદરાય ડેલાવાળા પરિવારમાં ડાયાભાઈ ડેલાવાળા, કનૈયાલાલ ડેલાવાળા, પ્રવિણચંદ્ર ડેલાવાળા, જયસુખભાઈ ડેલાવાળા અને સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના સૌથી નાનાભાઈ હતા.  તેઓ ડાયાલાલ કસ્તુચંદ એન્ડ કંપની, ગુણવંતરાય જયસુખલાલ એન્ડ કંપની, ભાવેશ મેટલ એન્ડ પ્લાસ્ટિક હાઉસ, હરિ ઈન્ડસ્ટ્રીઝ, હરિ એપ્લાયન્સિસ, ગોપાલ ટ્રેડર્સ અને કેશવ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા હતા.

સદ્દગતનું બેસણું તા.૩૦ને ગુરૂવારે, સવારના ૯ થી ૧૧ કલાકે, રાષ્ટ્રીય શાળા સભાખંડ, રાજકોટ ખાતે રાખેલ છે.

(11:26 am IST)