Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

ગ્રાહક અધિકાર અંગે સેમીનાર

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિતે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ કણકોટ ખાતે માર્ગદર્શક સેમીનાર યોજવામાં આવ્યો હતો. કોલેજના ટ્રસ્ટીમનસુખભાઇ જોશી, બહેન ડો. અલ્પનાબેન ત્રિવેદી, સંસ્થાના કેમ્પસ ડાયરેકટર ડો. એમ. ડી. જોશી, પ્રિન્સીપાલ ડો. બી. એન. રામાણી, વિજયભાઇ પંડયા અને સ્ટાફ મિત્રો દ્વારા સરસ આયોજન કરાયુ હતુ. ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ નાનજીભાઇ આર. ખીમસુરીયા, મદદનીશ નિયંત્રક તોલમાપ શાખા ઇન્સ્પેકટર વી. એન. રાઠોડ, પી. વી. પીઠડીયા, બી. એચ. ગજેરા, અનામીકા કો.ઓ.સો.ના પ્રમુખ મનુભાઇ ધાંધલ, ધર્મભકિત સંકુલના આચાર્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, એડવોકેટ નયનભાઇ કોઠારી, એડવોકેટ રાજેશભાઇ ચાવડા, એડવોકેટ વિપુલભાઇ સોંદરવા, શ્રી ટાંક, વિરાણી સ્કુલના નિવૃત્ત આચાર્ય શિક્ષક ગોપાલભાઇ રાઠોડ, જય ગ્રુપના મિત્રો દ્વારા કાર્યક્રમની રૂપરેખા કરવામાં આવી હતી. છેતરાયા હોય ત્યારે શું કરવું?, કોની પાસે જવું? વગેર મુદ્દે માર્ગદર્શન અપાયુ હતુ.

(3:36 pm IST)