Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

શ્રી રામ જનરલ ઇન્સ્યુરન્સ તરફથી વકીલ જયેશ ગોંડલીયાની ફોરેન કોન્ફરન્સમાં પસંદગી

રાજકોટ, તા. ર૭ :  અત્રે શ્રી રામ જનરલ ઇન્સ્યુરન્સ કંપની લી.માંથી આખા સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગમાંથી એક માત્ર એડવોકેટ જયેશ ટી. ગોંડલીયાની વિદેશ લોયર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પસંદગી થતા સૌરાષ્ટ્રભરમાંથી તેમના ઉપર અભિનંદન વર્ષાથઇ રહેલ છે. રાજકોટ બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો કલેઇમ બારના હોદ્દેદારો તથા તમામ વકિલોએ તેમના સન્માનની તૈયારી શરૂ કરી દીધેલ છે.

શ્રી ગોંડલીયાએ નાની ઉંમરમાં ખુબ જ લોકચાહના સાથે કાયદાના અભ્યાસ અને કલેઇમ કેસમાં ખુબ જ જીણવટ રીતે કાયદાના સિધ્ધાંતોના આધારે વિવિધ વિમા કંપનીઓ વતી પેનલ એડવોકેટ તરીકે હાજર રહી વિવિધ વિમા કંપનીઓનાં મોટા પ્રમાણમાં કલેઇમ કેસોનો સમાધાન તેમજ મેરીટ ઉપર ચુકાદાઓ દ્વારા નિકાલ કરાવનાર વકિલ બનેલ છે તેમજ વર્તમાન સમયમાં તેઓ શ્રી રામ જનરલ ઇન્સ્યુ. ઉપરાંત આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ જન. ઇન્સ્યુ. ઇફકો-ટોકીયો જન. ઇન્સ્યુ. બજાજ આલીયાન્ઝ જન. ઇન્સ્યુ., યુનાઇટેડ ઇન્ડીયા જન. ઇન્સ્યુ. એસ.બી.આઇ. જન ઇન્સ્યુ. ભારતી -એક્ષા જન. ઇન્સ્યુ. જેવી વિગેરે કુલ ૧૧ વિમા કંપનીઓમાં પેનલ એડવોકેટ તરીકે કામગીરી કરે છે. શ્રી ગોંડલીયાના પિતાશ્રી ટી.કે. ગોંડલીયા રીયાયર્ડ પી. એસ.આઇ. હોય, પોલીસ પરિવારોમાં પણ ખુશીની લહેર દોડી ગયેલ છે. શ્રી ગોંડલીયાને ઠેર-ઠેરથી ફોન ઉપર તેમજ રૂબરૂ મળી સમાજના શ્રેષ્ઠીઓ, વકિલો તથા અગ્રણી પોલીસ અધિકારી દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહેલ છે. વકિલોમાં લોકપ્રિય બનેલ શ્રી ગોંડલીયાને તેના મોબાઇલ નંબર ૯૮૭૯પ ૯૭૭૯ર ઉપર અભિનંદનની વર્ષા થઇ રહેલ છે. શ્રી ગોંડલીયાએ રાજકોટ બાર એસોસિએશન તેમજ કલેઇમ બાર એસોસિએશનનું ગૌરવ વધારેલ છે.

(3:40 pm IST)