Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સુરત ગુરૂકુળના શ્રી પ્રભુ સ્વામી અકિલાના આંગણેઃ કિરીટભાઈ ગણાત્રાને મરીનો હાર પહેરાવી અકિલા પરિવારને આશીર્વાદ

રાજકોટ :. શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ હેઠળના સુરત ગુરૂકુળ (વેડ રોડ)ના શ્રી પ્રભુચરણ સ્વામી અને શ્રી અખિલેશ સ્વામીએ આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈ ગુરૂકુળ દ્વારા મોતી જેવા મરી (તીખા)થી બનાવેલો ખાસ હાર અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને પહેરાવી આશીર્વાદ વરસાવ્યા હતા. ગુરૂકુળના ભાવાંજલિ મહોત્સવ નિમિતે રાજકોટ મુકામ કરી રહેલા શ્રી પ્રભુ સ્વામીએ સંપ્રદાયની પ્રવૃતિ અને કાર્યક્રમોને અકિલાના માધ્યમથી મળતી પ્રસિદ્ધિનો ઉલ્લેખ કરી પ્રસન્નતા પાથરી હતી. અકિલા પરિવારે પણ સ્વામીજીનું ભાવભીનું સ્વાગત કરેલ. આ પ્રસંગે શ્રી નિલકંઠ ભગત તથા હરિભકત નિવૃત આચાર્ય રૂગનાથભાઈ દલસાણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:32 pm IST)