Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

૩૧મીએ વિજયભાઇ રાજકોટમાં: ભવ્ય સ્વાગત

નાગરીક સમિતિ-બીએપીએસ-યોગીધામ દ્વારા જાજરમાન સ્વાગત કરાશે

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલે શપથ લીધા બાદ આજે હિમાચલ પ્રદેશમાં શપથવિધિ સમારોહમાં હાજરી આપી છે. દરમ્યાન આગામી ૩૧મીના રવિવારે શ્રી રૂપાણી રાજકોટ આવી રહયાનું જાણવા મળે છે.  ગુજરાતના મુખ્યમંત્રીપદે બીજી વખત તાજ ગ્રહણ કર્યા બાદ  તેઓ પ્રથમ વખત રાજકોટ આવી રહયા છે. શહેર ભાજપ અને અન્ય સંસ્થાઓ દ્વારા સ્વાગત માટેની તૈયારીઓ શરૂ કરી દીધાનું જાણવા મળે છે. શ્રી વિજયભાઇ રૂપાણી ૩૧મીના રવિવારે સાંજે ૪ વાગે વિમાનમાર્ગે રાજકોટ આવી રહયા છે. તેઓનું એરપોર્ટ ખાતે નાગરીક સમિતિ દ્વારા અભિવાદન કરવામાં આવનાર છે. આ ઉપરાંત બીએપીએસ અને યોગીધામ દ્વારા પણ અભિવાદન કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

(4:47 pm IST)