Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ગીતાનગરમાં દરજી યુવાન કલ્પેશ રાઠોડનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૨૭: ઢેબર રોડ પર ગીતાનગરમાં આવેલા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતાં કલ્પેશભાઇ કાંતિભાઇ રાઠોડ (ઉ.૩૦) નામના દરજી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આપઘાતના બનાવની જાણ થતાં ભકિતનગરના એએસઆઇ એસ. એન. મકવાણા અને રણછોડભાઇએ ઘટના સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કલ્પેશભાઇ અપરિણીત હતો અને યાજ્ઞિક રોડ પર અંબિકા સિલેકશનમાં કામ કરતો હતો. પંખામાં દોરી બાંધી આ પગલુ ભરી લીધું હતું. આપઘાતનું કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૧૦)

 

 

(3:51 pm IST)