Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

કુવાડવા જીઆઇડીસી તળાવ કાંઠેથી રાજસ્થાનના આધેડની લાશ મળી

મૃતક સુરેશભાઇ કારખાનામાં મજૂરી કરતા'તા

રાજકોટ તા. ૨૭: કુવાડવા જીઆઇડીસી સામે આવેલા તળાવ કાંઠેથી અજાણ્યા પુરૂષની લાશ મળતાં પોલીસે કાર્યવાહી કરી હતી. તપાસ થતાં આ આધેડ કુવાડવામાં જ રહેતાં મુળ રાજસ્થાનના સુરેશભાઇ ભૈરવજી વેણુ (ઉ.૪૫) હોવાનું ખુલ્યું હતું.

લાશ પડી હોવાની જાણ સરપંચ સંજયભાઇ પીપળીયાએ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ વી. પી. આહિર અને મહાવિરસિંહે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક પાસેથી મળેલા કાગળોને આધારે તપાસ થતાં તે હાલ કુવાડવાના એક કારખાનામાં મજૂરી કરતાં મુળ રાજસ્થાનના સુરેશભાઇ વેણુ હોવાનું ખુલ્યું હતું. તેનું મોત હાર્ટએટેકથી થયું કે અન્ય કોઇ કારણે? તે જાણવા પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

(12:17 pm IST)