Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા ઘોઘાવદર અને સવગુણ ખાતે ગુરૂવંદના

 રાજકોટ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ મનોજ રાઠોડની આગેવાનીમાં જિલ્લા ભા.જ.પ. અનુસુચિત જાતિ મોરચા દ્વારા ગુરુપૂર્ણિમા નિમિતે ઘોઘાવદર સંત શ્રી દાસીજીવણ સાહેબની જગ્યાના મહંત શ્રી  શામળદાસ બાપુ તથા લઘુમહંત શ્રી ત્રિલોકબાપુ અને બાંદરા સંત શ્રી ઉગારામદાદાની જગ્યાના મહંત શ્રી ગોરધનબાપા તથા લઘુમહંત અમૃતબાપુના સાનિધ્યમાં સવગુણધામ ખાતે ગુરૂવંદના કરવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં  જિલ્લા પ્રમુખ મનોજ રાઠોડની આગેવાનીમાં મહામંત્રી મહેશ વાણિયા, લાલજીભાઈ આઠુ તથા જિલ્લા અને જુદા જુદા તાલુકા ભા.જ.પ. અનુ.જાતિ મોરચાની ટીમના નવનિયુકત હોદેદારો તેમજ મંડલના હોદેદારો સાથે જોડાયા હતા. પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુકના પુત્ર શ્રી નૈમિષભાઈ ધડુક અને પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના સુપુત્ર શ્રી ગણેશભાઈએ વિશેષ હાજરી આપી હતી અને જિલ્લા તથા તાલુકાના અનુ.ભાજપના મોરચાના હોદ્દેદારો વજુભાઇ મકવાણા, મુકેશભાઈ રાઠોડ, અશોકભાઈ બથવાર, ત્રિલોકબાપુ, હિરેનભાઈ દાફડા, કાનજીભાઈ પરમાર, ભરતભાઈ લુણાસિયા, અનિલભાઈ માધડ, બી.પી.સોલંકી, હરિભાઈ મયાત્રા, નરેન્દ્રભાઈ રાઠોડ(કણકોટ), દેવકુભાઇ મકવાણા, જેન્તીભાઇ રાઠોડ, જેન્તીભાઇ પરમાર(વાડધરી), નારણભાઇ ખીમસુરીયા (મહીકા), લલિતભાઈ પેઇન્ટર (કણકોટ), કમાભાઈ (મહીકા), દાતાશ્રી જીતુભાઇ વાઘ(મુંબઈ) સાહિતનાઓએ હાજરી આપી હતી.

(4:02 pm IST)