Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

શહેરમાં છેલ્લા એક વર્ષમાં ૧૦ હજાર પરિવારોનું ઘરના ઘરનુંસ્વપ્ન થયુ સાકારઃ ૯૧૪ કરોડનાં ખર્ચે વિવિધ આવાસ યોજના તૈયાર

હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ કલીયરન્સ કમિટીનાં ચેરમેન તરીકે જયાબેન હરિભાઇ ડાંગરને એક વર્ષ પુર્ણ

રાજકોટ,તા.૨૭:  મહાનગરપાલિકાના હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ કલીયરન્સ કમિટીના ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગરના ચેરમેન તરીકેના છેલ્લા એક વર્ષના કાર્યકાળ દરમ્યાન આવાસ યોજના ક્ષેત્રે મહતવની કામગીરી કરેલ છે. જેમાં, મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના, સફાઈ કામદારોની આવાસ યોજના, ગોકુલ નગર આવાસ યોજના, મુખ્યમંત્રી ગૃહ યોજના,  પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા સ્માર્ટ ઘર  વિગેરે વર્ષ ૨૦૧૮-૧૯  દરમ્યાન આવાસ યોજનાવિભાગ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે જયાબેનએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૮-૨૦૧૯ દરમિયાન આવાસ યોજનાની થયેલ કામગીરીની વિગત  જેમાં વિગતવાર માહિતી જોઈએ મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના, સફાઈ કામદાર આવાસ યોજના , ગોકુલનગર આવાસ યોજના બનાવવામાં આવી છે.

વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી ગૃહ યોજના પેકેજ ૫ૅ૬ અંતર્ગત રૂ.૩૧.૬૭ કરોડના ખર્ચે કુલ ૪૭૦ આવાસો,  ૧૨૬૬ અંતર્ગત રૂ.૮૫.૩૩ કરોડના ખર્ચે કુલ ૧૨૬૬ આવાસો, માર્ટ દ્યર-૧ અંતર્ગત રૂ.૨૬.૩૮ કરોડના ખર્ચે કુલ ૩૮૪ આવાસો અંતર્ગત રૂ.૨૬.૮૪ કરોડના ખર્ચે કુલ ૪૮૮ આવાસો,  સ્માર્ટઘર ૩ (અનટેનેબલ કેટગરી) અંતર્ગત રૂ.૮૬.૫૬ કરોડના ખર્ચે ૧૧૭૬ આવાસો, સ્માર્ટઘર  (અનટેનેબલ કેટગરી) અંતર્ગત રૂ.૯.૪૭ કરોડના ખર્ચે કુલ ૧૨૮ આવાસો,  સ્માર્ટઘર ૨ (અનટેનેબલ કેટગરી) અંતર્ગત રૂ.૪૭.૦૭ કરોડના ખર્ચે કુલ ૬૧૬ આવાસો,  સ્માર્ટઘર ૪ (અનટેનેબલ કેટગરી) અંતર્ગત રૂ.૩૯.૮૩ કરોડના ખર્ચે કુલ ૫૨૮ આવાસો,  સ્માર્ટઘર ૫ (અનટેનેબલ કેટગરી) અંતર્ગત રૂ.૩૭.૦૭ કરોડના ખર્ચે કુલ ૫૪૪ આવાસો,  સ્માર્ટઘર ૬ (અનટેનેબલ કેટગરી) અંતર્ગત રૂ.૧૦૮.૩૫ કરોડના ખર્ચે કુલ ૧૫૮૪ આવાસો, વેસ્ટ ઝોન પેકેજ ૧ અંતર્ગત રૂ.૨૦૯.૧૩ કરોડના ખર્ચે કુલ ૧૩૮૦ આવાસો, વેસ્ટ ઝોન પેકેજ ૨ અંતર્ગત રૂ.૫૪.૮૪ કરોડના ખર્ચે કુલ કુલ ૫૪૨ આવાસો, વેસ્ટ ઝોન પેકેજ ૩ અંતર્ગત કુલ ૧૫૧.૫૫ કરોડના ખર્ચે કુલ ૧૧૫૨ આવાસો બનાવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં કુલ ૧૦૨૫૮ આવાસો રૂ.૯૧૪.૦૯ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા જે અંતર્ગત રૂ.૧૨૧.૭૯ કરો કેન્દ્ર સરકારની ગ્રાન્ટ અને ૨૫૫.૩૩ કરોડ રાજય સરકારની ગ્રાન્ટ મળી હતી.

અંતમાં કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગરે મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટે. ચેરમેન ઉદયભાઈ કાનગડ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર તથા અધિકારીઓ અને પદાધિકારીઓનો આભાર વ્યકત કર્યો હતો.

(3:32 pm IST)