Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

રાજકોટ-શહેર-જીલ્લામાં કોરાનાથી ત્રીજુ મોત : મુંબઈથી દંપતિ રાજકોટ આવેલ તેમનો કોરોના રિપોર્ટ આજેજ પોઝિટિવ આવ્યા બાદ દિલીપ સંઘાણી નામના વ્યક્તિનું મોત : રાજકોટ શહેરમાં 2 મોત અને ગ્રામ્ય વિસ્તારમાં 1 મળી કુલ 3 વ્યક્તિ ના મોત

રાજકોટમાં મુંબઇથી આવેલા અને ક્રાઇસ્ટ હોસ્પીટલમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા દિલીપભાઇ સંઘાણીનું આજે મૃત્યુ થયું હતું રાજકોટ જીલ્લામા કોરોનાના બીજા દર્દીનું મોત થયાના અહેવાલો મળે છે અગાઉ શહેરના એક વૃદ્ધાનું કોરનાથી મોત થયેલ. એમ કુલ ૩ મોત થયા છે.

સંઘાણી દંપતી મુંબઇના માટુંગાથી ગઇકાલે સવારે રાજકોટ આવેલ દિલીપભાઇ સંઘાણી (ઉ.વ.૬૯) અને વાસંતીબેન સંઘાણી (ઉ.વ.૬૬)  સીધા જ ફર્ન હોટલ ખાતે કોરોન્ટાઇન થયેલ હતા. ગઇકાલ બપોરે સંઘાણી દંપતીમાં કોરોના શંકાસ્પદનાં લક્ષણો જોવા મળતા   તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના પરિક્ષણ બાદ તેઓને  કોરોના  પોઝીટીવ હોવાનું અકિલા નિદાન થયુ હતું. કોરોના પોઝીટીવ આવતા સંઘાણી દંપતીને ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

સાંજના 06:00 વાગ્યા આસપાસ દિલીપભાઈ સંઘાણી નું મૃત્યુ થયું હોવાનું સુુત્રોમાંથી જાણવાાં  મળી રહ્યું છે.

 

(8:29 pm IST)