Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની પ્રતિમાને સાફ સફાઇ-ફુલહાર

રાજકોટ : દેશના પ્રથમ વડાપ્રધાન જવાહલાલ નહેરૂની આજે પુણ્યતિથી નીમિતે મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીનાં પ્રાંગણમાં આવેલ પ્રતિમાને સાફ-સફાઇ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતાં. આ તકે કોંગ્રેસના નેતા ગોપાલ અનડકટ, રણજીત મુંધવા, રમેશ તલાટીયા, બળવંત છાંટબાર તથા ભાવેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. તે વખતની તસ્વીર (તસ્વીર : અશોક બગથરીયા)

(3:41 pm IST)