Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

મહાત્મા ગાંધી પ્લોટમાં માથાના દુઃખાવાથી કંટાળી જયસુખ કટારીયાએ ફાંસો ખાધો

પરિવારજનો જોઇ જતાં નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડતાં બચી ગયો

રાજકોટ તા. ૨૭: પારેવડી ચોક નજીક મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતાં જયસુખ હરિભાઇ કટારીયા (ઉ.વ.૨૮) નામના વણકર યુવાને સાંજે ઘરમાં સાંકળ સાથે રૂમાલ બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં બારી તોડી અંદર જઇ તેને નીચે ઉતારી લઇ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર જયસુખ એક બહેન અને ચાર ભાઇમાં નાનો છે. તેણે ઇલેકટ્રીકલ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અગાઉ હોન્ડા અને ટીવીએસ કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ ઘણા સમયથી માથામાં સતત દુઃખાવો થતો હોઇ નોકરી છોડી દીધી છે. આ દુઃખાવાથી કંટાળીને પગલુ ભર્યાનું તેણે જણાવ્યું હતું.

(1:04 pm IST)