Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ચેક પાછો ફરવાના કેસમાં આરોપીનો નિર્દોષ-છૂટકારો

રાજકોટ, તા. ર૭ : ચેક રીર્ટનના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો અદાલતે ફરમાવેલ હતો.

રાજકોટ શહેરના માસ ફાયનાન્સીયલ સર્વીસીઝ લી.ના ઓથો. દરજ્જે ફરીયાદીએ ફરીયાદ દાખલ કરેલ હતી. જેમાં આરોપી રાકેશભાઇ બટુકભાઇ ગોંડલીયા રહે. સરીતા વિહાર સોસાયટી, યુનિ. રોડ, રાજકોટના એ માસ ફાયનાન્સીયલ સર્વીસીઝમાં પર્સનલ લોન લીધેલ હતી જે લોન પરત ચૂકવવા આરોપીએ તા. ૩૧-૮-ર૦૧રના રોજ રૂ. ર૦,૦૭ર/-નો ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતા ફરીયાદી તરફથી નોટીસ આપવામાં આવેલ જે નોટીસ આરોપીને બજી જવા છતાં રકમ ન ભરતા આરોપી વિરૂદ્ધ નેગોશીયેબલની સ્પે. કોર્ટમાં ચેક રીટર્ન  અંગેનો ફોજદારી કેસ દાખલ કરેલ હતો.

આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફથી એવો બચાવ લેવામાં આવેલ હતો કે હાલનો ચેક કાયદેસરના બાકી લેણા પેટે આપવામાં આવેલ નથી. ફરીયાદી તરફથી લોન અંગેના કોઇ આધાર પુરાવા રજૂ કરવામાં આવેલ નથી અને હાલની જે ચેક રકમ બતાવવામાં આવેલ છે તેના કરતા વધારે રકમ આરોપીએ ફરીયાદી કંપનીને ચૂકવી આપેલ છે. ત્યારબાદ નામદાર વડી અદાલત અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરી આરોપી તરફે તેમના વકીલશ્રી દ્વારા દલીલો તથા રજુઆતો કરવામાં આવેલ હતી અને તે મુજબ ફરીયાદી પોતાનો કેસ અને લોન અંગેનો વ્યવહાર સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ હોય, આરોપી પાસેથી ફરીયાદીને કોઇ રકમ લેવાની ન થતી હોય અને આરોપી સામે ખોટો કેસ કરેલ હોય તે તમામ રજૂઆતો અને દલીલોને ધ્યાને રાખી રાજકોટના ચીફ જયુ. મેજી. શ્રી ઇ.એમ. શેખે આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી રાકેશભાઇ બટુકભાઇ ગોંડલીયા વતી વકીલ શ્રી સંજયસિંહ આર. જાડેજા, રાજેશ એન. મંજુસા રોકાયેલ હતાં. (૮.૧૭)

(4:39 pm IST)