Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજકોટ ડેરીમાં સરધારના સંતોના પગલા : બોદર-ધામેલિયાને આશીર્વાદ

રાજકોટ : જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (રાજકોટ ડેરી)ના આંગણે સરધારના સુપ્રસિધ્ધ સંત-કથાકારશ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી અને અન્ય સંતોએ ઠાકોરજીની પ્રતિમા સાથે દર્શન કરેલ. ડેરી પરિવારે તેઓને આવકારી ઠાકોરજીની આરતી ઉતારેલ. સંતોએ ડેરીની કામગીરી અને પ્રગતિ અંગે પ્રસન્નતા વ્યકત કરી હતી. ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયા, મેનેજીંગ ડીરેકટર શ્રી વ્યાસ, જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ભુપત બોદર અને ડેરીના તમામ સદસ્યોને સંતોએ રૂડા આશીર્વાદ આપ્યા હતા.

(11:56 am IST)