Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

નાડોદાનગરના વિકલાંગ લુહાર યુવાન વિજય ગોહેલનો બગીચામાં થીનર ગટગટાવી આપઘાત

રાજકોટઃ કોઠારીયા રોડ પર નાડોદાનગર-૪માં રહેતાં વિકલાંગ લુહાર યુવાન વિજય ધીરજભાઇ ગોહેલ (ઉ.૩૮)એ દિપ્‍તીનગરના બગીચામાં થીનર પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. ૧૦૮ના ઇએમટીએ જાણ કરતાં ભક્‍તિનગરના હેડકોન્‍સ. નરેન્‍દ્રભાઇ ભદ્રેશા (ખારવા)એ જરૂરી કાર્યવાહી કરી હતી.

વિજયભાઇને નાનપણથી જ એક હાથ અને એક પગમાં લકવો થઇ ગયો હતો. તે અપરિણીત અને બે ભાઇમાં નાના હતાં. ગુલ્‍ફીની રેંકડી હંકારી ગુજરાન ચલાવતાં હતાં. નવેક મહિનાથી માનસિક બિમારી લાગુ પડી હોઇ સિવિલમાં દવા ચાલુ કરી હતી. બિમારીથી કંટાળનીે પગલુ ભર્યાનું બહાર આવ્‍યું છે.

(4:45 pm IST)