Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

પ્રસંગ ગાંધીનગરમાં અને ખુશી રાજકોટના હૈયે છલકાઇ : હજારો કાર્યકરો શપથ સમારોહમાં પહોંચ્યા

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં તેમજ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ સહિતનાની ઉપસ્થિતિમાં શહેરમાંથી હજારો કાર્યકર્તાઓ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના ભવ્ય શપથવિધિ સમારોહમાં પહોંચ્યા હતા. કાર્યકર્તાઓ એક દિવસ અગાઉ જ ગાંધીનગર જવા વાહન વ્યવસ્થાની તૈયારીઓ કરી લીધી હતી.  ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અન્ય સંસ્થા, એન.જી.ઓ.ના. અગ્રણીઓ, સામાજીક ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં અને સાધુ-સંતોના આશિર્વચન સાથે આ ભવ્ય સમારોહ યોજાશે. હતો. જેમાં શહેરભરમાંથી ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ વોર્ડવાઇઝ કુલ મળી ૧૦૦ થી વધુ  મોટી બસ તેમજ ૧૦૦૦ થી વધુ મોટર ગાડીઓ વહેલી સવારે પ કલાકે શહેરના કુવાડવા રોડ ખાતે આવેલ સાત હનુમાન મંદિર ખાતેથી રવાના થઇ ત્યારે ગાંધીનગર હાઇવે પર કેસરીયો માહોલ છવાઇ ગયો હતો. આ સમયે કુવાડવા રોડ ખાતે આવેલ સાત હનુમાન મંદિર ખાતેથી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, રઘુભાઇ ધોળકીયા, દિવ્યરાજસિંહ ગોહિલ નિલેશ જનલ, નીતિન ભૂત, મોરચાના પ્રમુખ મહામંત્રી કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો, તમામ વોર્ડ ના પ્રભારી -પ્રમુખ -મહામંત્રી, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો, તમામ વોર્ડના પ્રભારી-પ્રમુખ-મહામંત્રી સહિતના તમામ શ્રેણીનાં કાર્યકર્તાઓને પ્રસ્થાન કરાવાયું હતું. આ સંમેલન માટેની આવશ્કય વ્યવસ્થા માટે શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ,  કાર્યાલય મંત્રી મહેશ આવશ્યક વ્યવસ્થા માટે શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, કાર્યાલય મંત્રી હરેશ જોષી તેમજ કાર્યાલય પરિવારમાંથી પ્રવિણભાઇ ડોડીયા, રામભાઇ પટેલ, રમેશભાઇ જોટાંગીયા, રાજુભાઇ કુંડલીયા, સમીર પરમાર, જયંતભાઇ ઠાકર, હરીશ ફીચડીયા, ચેતન રાવલ, સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:48 pm IST)