Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

અકસ્માતનો ભોગ બનેલ સોની સમાજના મૃતકોના પરિવારોને મુખ્યમંત્રી રાહત કોષમાંથી સહાય

રાજકોટઃ કાગદડી પાસે ઇકો મોટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલ સોનીસમાજના વ્યકિતઓના વારસદારોને મૂખ્યમંત્રી રાહતકોષમાંથી રૂ.ર૦ લાખની સહાય અર્પણ કરાઇ છે. પરિવારમાંથી ચાર પરિવારના ચાર વારસદારના સભ્યો ઉપસ્થિત રહેતા તેમને કુલ રૂ.૧૭.પ૦ લાખ સહાયનો ચેક મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવેલ. અસ્કમાતમાં મૃત્યુ પામનારના વારસદારોમાં ભાવિનીબેન રમેશભાઇ કલાડિયાને રૂપિયા પાંચ લાખ   દિપ્તીબેન રાજેશભાઇને  રૂ.  પ લાખ નિધિબેન મહેશભાઇ  કલાવડીયાને રૂ. પાંચ લાખ  અને કાજલબેન સુરેશભાઇ આડેસરાને અઢી લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સહાયના ચેકોનું સાંસદ મોહનભાઇ ધારાસભ્યો સર્વે શ્રી ગોવિંદભાઇ પટેલ અરવિંદભાઇ રૈયાણી શહેર મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયા, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, સોની સમાજના પુનિતાબેન પારેખના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અકસ્માતમાં મૃત્યુ  પામનાર સદગતોના આત્માની શાંતી માટે બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર પ્રકાશ ગોઠી તેમજ સમાજના મોભીઓ હાજર રહ્યા હતા.

(3:50 pm IST)