Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

એસિડ પી લેનારા રેફયુજી કોલોનીના માનસિક અસ્વસ્થ સિંધી યુવાનનું મોત

ગુરૂનાનક જયંતિના દિવસે ૩૪ વર્ષના સતિષભાઇ નાગપાલે ગુરૂનાનક મંદિર પાસે એસિડ પીધું હતું: રવિવારે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૬: રેફયુજી કોલોની કવાર્ટર નં. ૨માં રહેતાં સતિષ અરજણભાઇ નાગપાલ (ઉ.૩૨) નામના સિંધી યુવાને ગુરૂનાનક જયંતિના દિવસે સાંજે પાંચેક વાગ્યે ગુરૂનાનક મંદિર નજીક કરિયાણાની દૂકાનેથી ટાઇલ્સ કલીનર (એસિડ) લઇને પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ યુવાનનું ગત મોડી રાત્રે મોત નિપજ્યું છે. તે માનસિક અસ્વસ્થ અને દિવ્યાંગ હતો. ં આ પગલું ભરવા પાછળ કયુ કારણ છે? તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે.

મૃત્યુ પામનાર સતિષભાઇ બે ભાઇમાં વચેટ હતાં. તે વર્ષોથી માનસિક અસ્વસ્થ હતાં અને હાથ-પગમાં પણ પેરાલિસીસ હતું. મૃતકના ભાઇના કહેવા મુજબ સતિષભાઇ ૨૩મીએ સાંજે ગુરૂનાનક જયંતિના દિવસે જંકશન રોડ પર હતાં ત્યારે તેણેે  એક દૂકાનમાંથી ટાઇલ્સ કલીનર લઇને પી લીધું હતું. જો કે પોલીસ નિવેદનમાં સતિષભાઇ સ્પષ્ટ કંઇ બોલી શકયા નહોતાં. દરમિયાન તેમણે રવિવારે મોડી રાત્રે દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો છે.

પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર સહિતની ટીમે પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં વિશેષ તપાસ હાથ ધરી છે. મૃતકના ભાઇએ જે વિગતો જણાવી છે તે અંગે તપાસ થઇ રહી છે. 

(3:28 pm IST)