Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

જંગલેશ્વરના ૧ વર્ષના સુમિતનું ભરણી અને તાવથી મોત

રાજકોટ તા. ૨૬: જંગલેશ્વર શેરી નં. ૧૧માં રહેતાં મુળ યુ.પી.ના પ્રતાપભાઇ ચોૈહાણનો પુત્ર સુમિત (ઉ.વ.૧) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલના કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવ અંગે ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર સુમિત ત્રણ ભાઇ એક બહેનમાં નાનો હતો. તેના પિતા કારખાનામાં કામ કરે છે. સુમિતને ભરણી થઇ ગઇ હતી અને બે ત્રણ દિવસથી તાવ પણ આવતો હતો. માસુમ  દિકરાના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(3:14 pm IST)