Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

રાજા બનવાના સ્વપ્ન જોતાં અલ્પેશ ઠાકોરને પ્રજાએ ચોકીદાર પણ ન બનાવ્યા

ભાજપ તારા વળતા પાણી : મતદારોએ સતા લાલચુઓને તેનું સ્થાન બતાવી દીધું : રણજીત મુંધવા, ઇન્દુભા રાઓલ, ગોપાલ અનડકટનું નિવેદન

રાજકોટ, તા. ર૬ :  શહેર કોંગ્રેસનાં આગેવાનો રણજીત મુંધવા,  ઇન્દુભા રાઓલ અને ગોપાલ અનડકટે એક નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં યોજાયેલ છ પેટા ચૂંટણીમાં ૩ સીટ પર ગુજરાતની પ્રજાએ કોંગ્રેસ ને આપી. જેમાં હાઇપ્રોફાઇલ ગણાતી રાધનપુર-બાયડની સીટ પણ કોંગ્રેસને આપી. પ્રજાએ એક એવો પણ સંકેત આપી દીધો છે કે પ્રજાનાં મતનું મુલ્ય નહીં સમજો અનેે પ્રજા સાથે ગદ્દારી કરશો તો આમ જ દરવાજો બતાવામાં આવશે.

પ્રજાએ ભાજપને અને મંત્રી બનવાના સપનામાં રાચતા સતા લાલચુ અલ્પેશ-ધવલને તેઓનું સ્થાન બતાવી દીધું છે. મંત્રી પદ માટે ભાજપમાં ગયા પણ સાબીત કરી બતાવ્યું પક્ષ પલ્ટુને ઘરે પાછા મોકલી દેવા કેટલાય ધુરંધર પક્ષ પલ્ટુને પ્રજાએ તેમનું સ્થાન બતાવ્યું છે ને જાકારો પણ આપ્યો છે. અને એક-એક મતની કિંમત શું છે એ સમજાવ્યું છે.

(3:04 pm IST)