Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ભાઈબીજ પ્રસંગે સિટી તથા બી.આર.ટી.એસ. બસમાં બહેનોને વિનામુલ્યે મુસાફરી

મેયર બિનાબેન આચાર્ય, મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલની જાહેરાત

રાજકોટ,તા.૨૬:  મહાનગરપાલિકા દ્વારા છેલ્લા દ્યણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીની સવલત આપવામાં આવે છે તેમમેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની સંયુકતમાં જણાવાયું છે.

 આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે  આગામી ભાઈબીજ નિમિતે તા.૨૯ને મંગળવાર રોજ રાજકોટ મહાનાગપાલિકા દ્વારા સંચાલીત સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં તમામ મહિલાઓને આવન જાવન માટે વિનામુલ્યે મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આ ફ્રી બસ સેવાનો લાભ લેવા બહેનોને અનુરોધ કરવામાં આવે છે.

(3:02 pm IST)