Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

વાછાણી પરિવારના સહયોગથી સુપર મેગા નેત્રયજ્ઞ

સ્વ. ચંપકલાલ મોહનલાલ વાછાણી હસ્તે ગં.સ્વ. હેમલતાબેન ચંપકલાલ વાછાણી તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર જિલ્લાને આંખના મોતિયા વિહિન કરવા અશ્વમેઘ સંકલ્પ પૈકી ૪૯ મો. શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજવામાં આવતા ૩૦૯ દર્દીઓએ ભાગ લીધો હતો. નેત્રયજ્ઞ દરમિયાન દર્દીઓને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘી નો શીરો, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યા હતા.

(3:00 pm IST)