Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

રાત્રે દેવપરા શાકમાર્કેટ ચોકમાં ઝૂંડી વિતરણ

રાજકોટ : શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા પૂ.શ્રી જલારામબાપાની શોભાયાત્રા અંતર્ગત ત્રિકોણબાગ ખાતેથી પૂ.શ્રી જલારામબાપાની ઝૂંડી તથા સાહિત્યનું વિતરણ તથા ટુ-વ્હીલર  ફોર વ્હીલર તથા રીક્ષાઓમાં પૂ.શ્રીજલારામબાપાની ઝુંડી બાંધી શોભાયાત્રામાં સર્વ જલારામ ભકતોને આમંત્રણ પાઠવવામાં આવેલ હતું. આ વિસ્તારના મનુભાઈ જોબનપુત્રા, શિવશકિતવાળા મનોજભાઈ પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, જીતુભાઈ ફ્રૂટવાળા, જીતુભાઈ લાખાણી, જલારામ વસંત, નોટરી ગાંધીભાઈ, દિપકભાઈ શ્રીજી મેડીકલ, રામજી મંદિરના પૂજારી દ્વારા રાત્રે ૯:૩૦ કલાકે દેવપરા શાકમાર્કેટ ચોકમાં જલારામ બાપાનું પૂજન - આરતી તથા ઝુંડી તથા સાહિત્ય વિતરણ કરાશે.

જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટના રમેશભાઈ ઠક્કર, પ્રવિણભાઈ કાનાબાર, અશોક હીન્ડોચા, નવીનભાઈ છગ, મયંકભાઈ પાઉ, કલ્પેશભાઈ તન્ના, વજુભાઈ વિઠ્ઠલાણી, રમણભાઈ કોટક, મનીષભાઈ સોનપાલ, નવીનભાઈ ઠક્કર, યોગેશભાઈ પૂજારા, ભાવીનભાઈ કોટેચા, મનુભાઈ જોબનપુત્રા, હિતેન્દ્રભાઈ વડેરા, અશ્વિનભાઇ મીરાણી, રાજેશભાઈ મીરાણી, વિજયભાઈ તન્ના, નરેન્દ્રભાઈ ખોલીયા, વિનોદભાઈ બુદ્ધદેવ, હિતેશભાઈ પોપટ તથા સર્વ જલારામ ભકતો દ્વારા જાહેર નિમંત્રણ અપાયુ છે.

(2:59 pm IST)