Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં જયજિનેન્દ્ર ડોમ નું ઉદ્ઘાટન

રાજકોટ  : શ્રી ઘાટકોપર સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે પૂ.શ્રી. ધીરજમૂનિ મ.સા.ની નિશ્રામાં સાતાકારી જયજિનેન્દ્ર ડોમનું ઉદ્ઘાટન સંથારા આરાધક જયવંતભાઇ જગન્નાથ જસાણી અને પુર્વ પ્રમુખઙ્ગમણિલાલ સુંદરજી દોશી પરિવારના ભરતભાઇ, શૈલેશભાઇ, હિતેશભાઇ જસાણી તથા કિરીટભાઇ અને કુ.દર્શનાબેન દોશીના હસ્તે કરાયા બાદ શ્રીમતી ધનલક્ષ્મી મહેન્દ્ર કાનજી મહેતાના હસ્તે આમ્રફલ વિતરણ યોજના અને શોભનાબેન વસંતરાય લાખાણીના હસ્તે મહાવીર જ્ઞાનાલયમ્ તકતીની અનાવરણ વિધી કરેલ. જયારે આર્કિટેકટ ભાવિક શાહની સેવા બદલ શિલાલેખ મુકવામાં આવેલ.

(2:57 pm IST)