Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

૫ જિલ્લાઓની મગફળી ખરીદીની દેખરેખ એ.વી. વાઢેરના હવાલે

રાજકોટ, મોરબી, સોમનાથ, જુનાગઢ, પોરબંદર જિલ્લાની જવાબદારી

રાજકોટ,તા.૨૬: સરકારના નાગરિક પુરવઠા નિગમ રાજ્ય દ્વારા સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓઓના ટેકાના ભાવની મગફળી ખરીદી કેન્દ્રોના સુપર વિઝન ઇન્ચાર્જ તરીકે નિવૃત અધિક કલેકટર શ્રી એ.વી. વાઢેર (મો- ૯૪૨૭૧ ૧૫૦૦૨)ને ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીની મુદત માટ જવાબદારી સોપવામાં આવી છે. તેમણે રાજકોટ, મોરબી, ગિર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં મગફળી ખરીદીની કામગીરીના યોગ્ય સંચલાન માટે દેખરેખ રાખવાની રહેશે. સરકાર દ્વારા ખાસ ધ્યાન ફાળવવામાં આવશે. મુખ્ય મથક રાજકોટ રહેશે.

શ્રી એે.વી.વાઢેર તેમના કાર્યકાળમાં રાજકોટ જુનાગઢ, અમરેલી, ભરૂચ વગેરે જિલ્લાઓમાં ફરજ બજાવી ચુકયા છે. ગયા વર્ષ પણ તેમણે મગફળી ખરીદ કેન્દ્રમાં સેવા આપેલ તેમના અનુભવ અને આવડતને ધ્યાને રાખીને સરકારે ફરી આ વર્ષે પણ નિમણૂક કરી છે.

(1:22 pm IST)