Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

પૂ.મહંતસ્વામી ભાઈબીજના દિવસે રાજકોટમાં

તા.૨૯ થી ૧૦ નવેમ્બર સુધી રોકાણ : પૂ.સ્વામીજીની હાજરીમાં ઉત્સવ પરંપરા : શાક-હાટડી ઉત્સવ - સંત કિર્તન આરાધના - પારાયણ - પ્રાતઃ પૂજા દર્શનના કાર્યક્રમો : હરિભકતો ઉમટશે

રાજકોટ, તા. ૨૬ : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજય મહંતસ્વામી મહારાજ દિપાવલીના શુભ દિવસોમાં રાજકોટને આંગણે તા.૨૯ ઓકટોબર, મંગળવાર, ભાઈબીજથી ૧૦ નવેમ્બર, રવિવાર સુધી કુલ ૧૨ દિવસ દિવ્યલાભ આપનાર છે જે દરમ્યાન વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવશે.

પૂજય મહંતસ્વામી મહારાજના રાજકોટના રોકાણ દરમ્યાનના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આ મુજબ રહેશે.

તા. ૩૧ ઓકટોબર, ગુરુવારથી ૯ નવેમ્બર, શનિવાર સુધી પ્રતિદિન સવારે ૬ થી ૮:૩૦ વાગ્યા સુધી પૂ. મહંતસ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શન-આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે.

તા. ૩૧ ગુરૂવારથી ૪ નવેમ્બર, સોમવાર સુધી પ્રતિદિન સાંજે ૫:૩૦ થી ૮  સુધી સાયંસભામાં સંસ્થાના વરિષ્ઠ વિદ્વાન વકતા સંત દ્વારા પારાયણ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો લાભ પ્રાપ્ત થશે.

તા.૮ નવેમ્બર, શુક્રવારે પ્રબોધિની એકાદશીના દિવસે સવારે ૬ થી ૮:૩૦ સુધી શાક-હાટડી ઉત્સવનો લાભ મળશે.  તા. ૯ નવેમ્બર, શનિવારના દિવસે સાંજે ૪:૩૦ થી ૮ દરમ્યાન બી.એ.પી.એસ. સંસ્થાના સંગીતજ્ઞ સંતો પાસેથી ભવ્ય શ્નસંત કીર્તન આરાધનાલૃનો લાભ પ્રાપ્ત થશે.   

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે પરમ પૂજય મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં આયોજીત ઉત્સવ પરંપરામાં સગા-સ્નેહી, મિત્રો-પરિવારજનો સાથે લાભ લઈ નૂતન વર્ષને સુખદ, શાંતિપ્રદ અને સંતોષમય બનાવવા કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂ. અપૂર્વમુનિ સ્વામી દ્વારા  નિમંત્રણ પાઠવ્યું છે.

(11:33 am IST)