Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

પૂર્વ મુખ્યમંત્રી દિલીપભાઈ પરીખનું નિધન થતા રાજકોટમાં આતશબાજીનો કાર્યક્રમ રદ્દઃ કાલે ૭ાા આ કાર્યક્રમ રાબેતા મુજબ યોજાશે : મેયર - સ્ટેન્ડીંગ ચેરમેન અને સમાજ કલ્યાણ ચેરમેને પૂર્વ મુખ્યમંત્રીના અવસાનથી ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી

રાજકોટ : આજે સાંજે ૭ વાગ્યે રેસકોર્ષ મેદાન ખાતે મ્યુ.કોર્પોરેશન દ્વારા યોજાનાર આતશબાજીનો કાર્યક્રમ અનિવાર્ય સંજોગોને કારણે રદ્દ કરાયો હોવાની જાહેરાત મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડીયાએ કરી છે : તેઓએ અકિલાને જણાવ્યુ હતું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપભાઈ પરીખનું અવસાન થયાના સમાચાર મળતા તેઓના નિધનથી સમગ્ર ભાજપ પરિવાર ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી રહેલ છે અને આજનો આતશબાજીનો કાર્યક્રમ રદ્દ કરી સદ્દગતનો શોક મનાવવામાં આવશે : આવતીકાલે તા.૨૬ને શનિવારે સાંજે ૭:૩૦ વાગ્યે રાબેતા મુજબ રેસકોર્ષ મેદાન ખાતે આતશબાજીનો કાર્યક્રમ યોજાશે જેની સર્વે નગરજનોએ નોંધ લેવી.

(5:54 pm IST)