Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

રાજકોટની એ.એમ.પી લો કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ - ઉચ્ચ શિક્ષણ કમિશનર ગાંધીનગરના પૂર્વ જોઈન્ટ ડાયરેક્ટર મનોજભાઈ ઉપાધ્યાયનું નિધન

અમદાવાદ : રાજકોટની એ.એમ.પી લો કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને ઊચ્ચ શિક્ષણ કમિશનર ગાંધીનગરના પૂર્વ જોઇન્ટ ડાયરેકટર મનોજભાઈ ઉપાધ્યાયનું આજે વહેલી સવારે  અવસાન થયું છે

સ્વ. મનોજભાઈ ઉપાધ્યાય (જન્મ તારીખ ૫-૯-૧૯૪૫) રાજકોટની સરકારી એ.એમ.પી.લો કોલેજમાં ૧૯૭૯ માં વ્યાખ્યાતા તરીકે નોકરીમાં દાખલ થયા હતા આ અગાઉ રાજકોટની કોટક સાયન્સ કોલેજ માં નોકરી કરતા હતા

સદાયે હસતા રહેતા મનોજભાઇ ઉપાધ્યાય રાજકોટની લો કોલેજમાં વ્યાખ્યાતા તરીકેની કામગીરી ઉપરાંત લો કોલેજની વહીવટી કામગીરીમાં હંમેશા અગ્રેસર રહેતા હતા

 રાજકોટની સરકારી લો કોલેજમાં૧૯૮૮માં પ્રિન્સીપાલ તરીકેની જવાબદારી સંભાળી હતી અને ૨૦૦૩ સુધી આ જવાબદારી વહન કરતા હતા ત્યારબાદ ૨૦૦૩ ગુજરાત સરકારે તેમની વહિવટી આવડત અને કૌશલ્ય ને ધ્યાનમાં લઈને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીમાં ડેપ્યુટશનમાં જોઇન્ટ ડાયરેકટર તરીકે નિયુક્ત થયાં હતાં

ગાંધીનગરમાં ૨૦૦૭ માં વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા બાદ તેઓની વહીવટી સેવાઓ લેવા માટે રાજય સરકારે તેમના માટે ખાસ જગ્યા ઉભી કરીને ઊચ્ચ શિક્ષણ કમિશનર ગાંધીનગરમાં ખાસ ફરજ ઉપરના અધિકારી (OSD)તરીકે નિમણૂંક કરેલ હતી

આ નવી જવાબદારીમાં નવી યુનિવર્સિટીઓની રચના કરવામાં તેઓનો મહત્વની ભૂમિકા રહેતી હતી છેલ્લા થોડા સમયથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા અને સારવાર દરમિયાન તેઓનું આજે વહેલી સવારે અવસાન થયેલ અને આજે સવારે અમદાવાદ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવેલ હતા.

(11:34 am IST)