Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ઈશ્વરિયા પાર્ક તા. ૨૮ ઓગસ્ટ થી ૧લી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

કોરોનાની મહામારી વધુ ન ફેલાય તે માટે જાહેર હિતાર્થે ઈશ્વરીયા પાર્ક સહેલાણીઓ માટે બંધ રાખવા નિર્ણય

રાજકોટ : ઈશ્વરીયા પાર્કના મેનેજરની યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટના તારીખ ૧૭, ઓગસ્ટ - ૨૦૨૧ ના જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે WHO દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે.  હાલમાં વિશ્વમાં તથા દેશમાં પ્રવર્તી રહેલી કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઇ રાજ્યમાં કોરોના વાઇરસનો ફેલાવો ન થાય તે માટે ઉપરોક્ત જાહેરનામાથી મળેલ સૂચનાઓ અન્વયે તકેદારીના પગલારૂપે વધારે સંખ્યામાં વ્યક્તિઓને એકત્રિત થવાની મનાઇ ફરમાવેલ છે. ઇશ્વરિયા પાર્કમાં સહેલાણીઓ દ્વારા ખૂબ જ વધુ માત્રામાં મુલાકાત લેવાતી હોય જેને ધ્યાને લઇ કોરોનાની મહામારી વધુ ન ફેલાય તે માટે તારીખ ૨૮ મી ઓગસ્ટ થી તારીખ ૧ લી સપ્ટેમ્બર ૨૦૦૧ સુધી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન જાહેર હિતાર્થે ઈશ્વરીયા પાર્ક સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવનાર છે. જેની તમામ સહેલાણીઓને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે

(11:46 pm IST)