Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ઉપલેટામાં શિક્ષકો - આચાર્યો માટે તાલીમ સેમીનાર

રાજકોટ : સરદાર વલ્લભભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રમણિકભાઇ ધામી શૈક્ષણિક સંકુલમાં નવી શિક્ષણનીતિ અને ટેકનોલોજીનો ઉપયોગ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના ધ્યેય સાથે શિક્ષણવિદ્દ ગીજુભાઇ ભરાડના અધ્યક્ષ સ્થાને શહેરની શાળાના શિક્ષકો અને આચાર્યશ્રીઓ માટે તાલીમ સેમીનાર યોજવામાં આવ્યો હતો. ધામી સંકુલના પ્રમુખ કમલનયનભાઇ સોજીત્રા અને ટ્રસ્ટીઓની વિચારધારા અને વિઝનનના ભાગરૂપે યોજવામાં આવેલ આ સમેીનારમાં હકારાત્મક અભિગમ સાથે શિક્ષણના સંસ્કારો સિંચવા માર્ગદર્શન અપાયુ હતુ. 

(3:15 pm IST)