Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કોંકણ રેલ્વેમાં રીપેરીંગ કામગીરીને કારણે હાપા-મડગાંવ અને જામનગર-તિરૂનલવેલી ટ્રેનના સમયમાં ફેરફાર

રાજકોટઃ કોંકણ રેલ્વેના રોહા-વીર સેકસનમાં એન્જીનીયરીંગ બ્લોક (રીપેરીંગ કામગીરી) ને કારણે તા.રપ મીની હાપા-મડગાંવ (ટ્રેન નં. ૦ર૯૦૮) ટ્રેન પોતાના નિર્ધારીત સમય રાત્રે ૯.૪૦ના બદલે ૧ કલાક મોટી રાત્રે રર.૪૦ વાગ્યે ઉપડશે. આવી જ રીતે તા.ર૭ મી ઓગષ્ટની જામનગર-તિરૂતનવેલી (ટ્રેન નં. ૦૯પ૭૮)  પોતાના નિર્ધારીત સમય રાત્રે ૯.ર૦ના બદલે ર કલાક મોડી રાત્રે ૧૧.ર૦ વાગ્યે જામનગરથી ઉપડશે.

તા.ર૮મીની જામનગર-તિરૂનલવેલી  ટ્રેન પણ ર કલાક મોડી રાત્રે ૯.ર૦ના બદલે રાત્રે ૧૧.ર૦ વાગ્યે ઉપડશે.

(3:07 pm IST)