Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

રાજકોટ જિલ્લા બેંકની ૧૯૫મી શાખાનો ઝુંડાળા ગામમાં પ્રારંભ

રાજકોટ જિલ્લા સહકારી બેંકની ઝુંડાળા શાખાના પ્રારંભ પ્રસંગે જયેશ રાદડિયા, કુંવરજીભાઈ બાવળિયા, ઘનશ્યામભાઈ ખાટરિયા, અરવિંદભાઈ તાગડિયા વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા. ૨૬ :. ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજર વી.એમ. સખીયા જણાવે છે કે, ખેડૂત અગ્રણી - પૂર્વ સાંસદ પોરબંદર શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સુદ્રઢ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે બેંકના ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના કુશળ વહીવટના કારણે આ બેંકની થાપણ, ધિરાણ, વસલાત ક્ષેત્રે અવિરત પ્રગતિ કરેલ છે. તેમજ બેંક મારફત ખેડૂતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દાખલ કરેલ છે.

હાલ બેંકની ૧૯૫ શાખાઓ પૈકી ૧૨૭ શાખાઓ નાના નાના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત છે. આ બેંક સાથે જોડાયેલ ખેડૂતો, થાપણદારો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકમાં જ બેંકીંગ સેવાઓ મળી રહે તે બાબત ધ્યાને લઈ રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાના ઝુંડાળા ગામે નવી શાખા ખોલવા નાબાર્ડ તરફથી મંજુરી મળતા ઝુંડાળા મુકામે બેંકની નવી ૧૯૫મી શાખાનું લોકાર્પણ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં બેંકના જસદણ વિસ્તારના ડિરેકટર અરવિંદભાઈ તાગડીયા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, બેંકના એમ.ડી. ઘનશ્યામભાઈ ખાટરીયા તથા બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સના તમામ સભ્યો હાજર રહેલ હતા.

જયેશભાઈ રાદડિયાએ જણાવેલ કે આ બેંકની ૧૯૫ શાખાઓ મારફત રૂ. ૪,૮૭૯ કરોડની થાપણો એકત્ર કરી રૂ. ૩,૫૩૦ કરોડના ધિરાણો કરેલ છે અને ખેડૂતોને રૂ. ૨,૨૦૦ કરોડ જેવુ કે.સી.સી. ધિરાણ આપવામાં આવેલ છે, મંડળી મારફત ખેડૂતોને લોન આપી સબસીડીવાળા રૂરલ ગોડાઉનમાં સરકારની સબસીડી ઉપરાંત વધારાની વ્યાજ રાહત તથા ખે.વિ. લોનમાં ૧ ટકા વ્યાજ રાહત બેંક તરફથી આપવામાં આવે છે

(11:37 am IST)