Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

સોમનાથ સોસાયટીમાં પુરવઠાનો દરોડોઃ ૧૪ હજારનો જથ્થો સીઝ

૧૦ દિ'થી સ્ટોક રજીસ્ટર જ નહોતું દાખવ્યું: DSO દ્વારા કાર્યવાહી

 રાજકોટ તા. ર૬ :.. રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે શહેરની સોમનાથ  સોસાયટી શેરી નં. ૩ માં દરોડો પાડી ગેરરીતિ સબબ ૧૪ હજારની કિંમતના ઘઉં-ચોખા-કેરોસીન - ખાંડનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળેલ ફરીયાદ બાદ ડીએસઓ શ્રી જોષી પોતાના ઇન્સ્પેકટરો પરસાણીયા-રાદડીયા-સખીયા સાથે ઉપરોકત સોસાયટીમાં આવેલ સસ્તા અનાજના દૂકાનદાર કાંતાબેન દેલવાડીયાને ત્યાં સવારના પહોરમાં તપાસમાં દોડી ગયા હતાં, તપાસણી કરતા સ્ટોક રજીસ્ટર ૧૦  દી'થી નીભાવ્યું ન હોવાનંુ માલૂમ પડતા હાજર રહેલ ૧૪ હજારની કિંમતનો ઘઉં-ચોખા-ખાંડ-કેરોસીનનો જથ્થો સીઝ કરી આગળની તપાસ ચાલુ રાખી છે.

(4:15 pm IST)