Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગોંડલના મોવિયા સ્‍થિત શ્રી શનિધામે રવિવારે સમુહલગ્નઃ ૧૧ નવદંપતિઓના પ્રભુતામાં પગલા

કરીયાવરમાં દીકરીઓને સોના-ચાંદી સહિત ૧૫૧ વસ્‍તુઓને અપાશેઃ ૨૦ દાતાઓનું સન્‍માનઃ પુનમબેન ગોંડલીયા અને તેનું ગ્રુપ લગ્નગીત પિરસશે

રાજકોટઃ ગોંડલ તાલુકાના  મોવિયા શ્રીનાથગઢ રોડ ઉપર આવેલ સુપ્રસિધ્‍ધ એવા શ્રી શનિધામ મંદિરે તા.૨૮ના રવિવારના રોજ પ્રથમ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં ૧૧ નવયુગલ પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દીકરીઓને ૧૫૧ વસ્‍તુઓ આપવામાં આવશે

શ્રી શાનીધ્‍યધામ પ્રથમ સમુહલગ્ન ૧૧ દીકરીઓ સમુહલગ્ન ઉત્‍સવનો પ્રસંગે ૨૮મીના રવિવારે યોજાશે. શનિદેવનું પુજન સવારે ૯ કલાકે, જાન આગમન બપોરે ૩ કલાકે, વરઘોડો બપોરે ૪ કલાકે, હસ્‍તમેળાપ સાંજે ૬:૩૦ કલાકે, દાતાઓનું સન્‍માન સાંજે ૬ કલાકે, ભોજન સમારંભ સાંજે ૭ કલાકે, કન્‍યા વિદાય સાંજે ૮:૩૦ કલાકે, લગ્નગીત પુનમબેન ગોંડલીયા, સાજીંદા ગ્રુપ, હરદેવભાઇ આહીર, લગ્નવિધિના સંપન્ન કરાવશે શાષાી મહેશભાઇ એન.પંડયા અને ભદ્રેશભાઇ મહેતા સમુહલગ્ન મુખ્‍ય દાતાની મેહુલભાઇ એમ.ખાખરીયા-ગોંડલ, જીજ્ઞેશ કે ગોરસિયા રાજકોટ છે.

શુભ સ્‍થળઃ શ્રી શનિદેવ મંદિર, શ્રીનાથગઢ, મોવિયા રોડ, તા.ગોંડલ, જી.રાજકોટ

આયોજનમાં કલ્‍પેશભાઇ ખાખરીયા ૯૦૩૩૦ ૦૩૪૦૦, મનીષભાઇ પટોડિયા, વિપુલભાઇ પંડયા, રોહિતભાઇ પંડયા ૯૭૭૭૫ ૦૦૯૯૨, મેહુલભાઇ ખાખરીયા જીજ્ઞેશભાઇ ગોરસિયા, ધવલ ભુવાજી(કમઢીયા-જય મામાદેવ મંદિર), અમિતભાઇ ખાખરીયા, ભરતભાઇ સાકરીયા, મયુરભાઇ ગોરસીયા, મિલનભાઇ, અક્ષયભાઇ, વિશાલભાઇ ખાખરીયા, જીજ્ઞેશભાઇ ખાખરીયા અને રાજ ધામેલીયા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(4:02 pm IST)