Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

લોહાણા વૃધ્ધ ભરતભાઇ લાખાણીનું બેભાન હાલતમાં મૃત્યુ

રાજકોટ તા. ૨૬: યુનિવર્સિટી રોડ પર રામકૃષ્ણ ડેરી સામે ઓમ પેલેસ સામે રહેતાં ભરતભાઇ મુળજીભાઇ લાખાણી (ઉ.૭૦) નામના લોહાણા વૃધ્ધ બિમાર હોઇ રાત્રે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃતકને સંતાનમાં એક પુત્ર મેહુલભાઇ છે. જે લંડન રહે છે. તેમને જાણ થતાં રાજકોટ આવવા નીકળ્યા છે. ભરતભાઇ લાખાણી ધર્મપત્નિ વિદ્યાબેન સાથે રહેતાં હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(4:18 pm IST)