Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

મજૂરી કામ ન મળવાથી ઝેર પી લેનારા ધોરાજીના ભોળા ગામના નિકુંજનું મોત

વણકર યુવાને રાજકોટમાં દમ તોડ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૬: ધોરાજીના ભોળા ગામે રહેતાં નિકુંજ નટુભાઇ પરમાર (ઉ.૧૭) નામના વણકર યુવાને ગયા ગુરૂવારે ઘરે ઝેરી દવા પી લેતાં ધોરાજી અને જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ રવિવારે સાંજે દમ તોડી દેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

આપઘાત કરનાર નિકુંજ બે ભાઇમાં મોટો હતો. ધોરણ-૧૦માં નાપાસ થયા બાદ કડીયા કામની મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. કેટલાક સમયથી મજૂરી કામ મળતું ન હોઇ કંટાળી જવાથી આ પગલું ભર્યાનું નિકુંજે સારવારમાં હતો ત્યારે જણાવ્યું હતું. યુવાન દિકરાના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી ધોરાજી પોલીસને જાણ કરી હતી. (૧૪.૭)

(12:05 pm IST)