Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

છાસીયામાં ચૈત્રી પૂનમે નવચંડી યજ્ઞ અને હનુમાન જયંતિ ઉજવાશે

મહાપ્રસાદ અને સંતવાણીનું પણ ભવ્ય આયોજન

રાજકોટ તા. ૨૬: વિંછીયાના છાસીયા ગામે વાળા પરિવાર દ્વારા ભુરાભાઇ સનાભાઇ ભુવા, મકાભાઇ સનાભાઇ વાળા, અમરાભાઇ મોહનભાઇ પઢીયાર, ઉકાભાઇ સનાભાઇ વાળાની આગેવાની હેઠળ શનિવારે ચૈત્રી પૂનમના દિવસે નવચંડી યજ્ઞ તથા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સવારે ૮:૩૦ કલાકે નવચંડી ય૬ તથા સાંજે ૭ કલાકે મહાપ્રસાદ અને રાત્રે સંતવાણીનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા નિવુભાઇ, ખોડાભાઇ, દિનેશભાઇ, રાજુભાઇ, રમેશભાઇ, ભરતભાઇ, પ્રવિણભાઇ, અનિલભાઇ, દિપકભાઇ, નરેશભાઇ, દેવરાજભાઇ, વિપુલભાઇ, સુરેશભાઇ, વિજયભાઇ સહિતના જહેમત ઉઠાવે છે. ધર્મપ્રેમીઓએ લાભ લેવા અનુરોધ કરાયો છે. (૧૪.૯)

 

(12:05 pm IST)