Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

મેટોડામાં ઝાડા-ઉલ્ટી બાદ ૪II માસની બાળકી પ્રાક્ષીનું મોત

લાડકીના મોતથી વાળંદ દંપતિ શોકમાં ગરક

રાજકોટ તા. ૨૬: મેટોડા જીઆઇડીસી આસ્થા વિલેજ બી-૨૯૩માં રહેતાં પંકજભાઇ ગોહેલ (વાળંદ) અને મિતલબેન ગોહેલની દિકરી પ્રાક્ષી (ઉ.૪II માસ) સાંજે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ મોત નિપજ્યાનું જાહેર થતાં દંપતિ શોકમાં ગરક થઇ ગયું હતું.

પંકજભાઇ ગોહેલ વાળંદ કામ કરી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ સંતાનમાં બે પુત્રી છે. બે દિવસ પહેલા પ્રાક્ષીને ઝાડા-ઉલ્ટી થયા હતાં અને સારુ પણ થઇ ગયું હતું. ગત સાંજે તે પેટ ભરતી હતી ત્યારે જ આંખ મીંચી ગઇ હતી. હોસ્પિટલે ખસેડી હતી. પણ ડોકટરે મૃત જાહેર કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૯)

(12:05 pm IST)