Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

નર્મદાનું પાણી આજીડેમને બદલે સૂર્યા રામપરામાં ઠલવાયું

પાણીની કટોકટી વચ્ચે તંત્રની બેદરકારી ખુલી :પાણીની આવક ઓછી છતાં તંત્રને દરકાર નથી

રાજકોટ :નર્મદાનું પાણી આજીડેમ પહોંચવાને બદલે સૂર્યા રામપરામાં ઠલવાતું હોવાની વિગતો ખુલી છે જેમાં પાણીની કટોકટી વચ્ચે તંત્રની બેદરકારીને પગલે પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવા માટેની કાર્યવાહી દરમિયાન નર્મદાનું પાણી આજીને બદલે સૂર્યા રામપરા ખાતે ઠલવાયું હતું. આજી ડેમમાં નર્મદાના પાણીની આવક ઓછી  થવા છતાં તંત્ર દ્વારા કોઈ જ દરકાર કરવામાં આવી નહોતી. લાઈનનો એરવાલ્વ તૂટવાની ઘટના છતાં તંત્ર દ્વારા કોઈ તપાસ કે રીપેરીંગ અંગે ધ્યાન ન આપવામાં આવ્યાની વિગતો સામે આવી છે.

(10:08 pm IST)