Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પોૈત્રના વિયોગમાં સુથાર વૃધ્ધા મુકતાબેન કરગથરાનો અગ્નિસ્નાન કરી આપઘાત

ફિનાઇલ પીવાના ત્રણ બનાવઃ નિતાબેન અને રીનાબેને બિમારીને કારણે અને મનિષાબેને દિકરી સાથે ચડભડ થતાં પગલું ભર્યુ

રાજકોટ તા. ૨૬: કોઠારીયા રોડ પર ખોડિયાર સોસાયટી-૪માં રહેતાં મુકતાબેન જગજીવનભાઇ કરગથરા (ઉ.૮૦) નામના સુથાર વૃધ્ધાએ અકસ્માતમાં મૃત્યુ પામનાર પોૈત્રના વિયોગમાં ૨૪મીએ ઘરે અગ્નિસ્નાન કરી લેતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનું આજે મોત નિપજ્યું છે.બનાવની જાણ થતાં ભકિતનગરના એએસઆઇ અમિતાબેન બકુદરાએ જરૂરી કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પી.એસ.આઇ. પીપરોતર કરે છે. આપઘાત કરનારને સંતાનમાં ત્રણ પુત્ર અને ચાર પુત્રી છે. ચાર વર્ષ પહેલા તેમના પોૈત્ર દિવ્યેશનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારથી તેઓ ગુમસુમ રહેતાં હતાં. વારેઘડીએ પોૈત્રને યાદ કરતાં હતાં. તેના વિયોગમાં આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

ફિનાઇલ પીવાના બનાવો

એરપોર્ટ રોડ પર આશુતોષ સોસાયટી-૨માં રહેતાં મનિષાબેન વિજયભાઇ ઠકરાર (ઉ.૪૨)એ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. દિકરી સાથે ઘરકામ પ્રશ્ને ચડભડ થતાં આમ કર્યાનું જણાવાયું હતું. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિને મેડિકલ સ્ટોર છે. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

 બીજા બનાવમાં પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતી રીનાબેન મનિષ મકવાણા (ઉ.૨૬) નામની વણકર પરિણીતાએ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. તેણીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર છે. પતિ કેટરર્સમાં કામ કરે છે. માથાના દુઃખાવાને કારણે પગલું ભર્યાનું જણાવાયું હતું.ત્રીજા બનાવમાં જામનગર રોડ પરસાણાનગર-૯માં રહેતાં નિતાબેન નરેશભાઇ દેવાણી (ઉ.૩૫) નામના સિંધી મહિલાએ ફિનાઇલ પી લેતાં સિવિલમાં ખસેડાયા હતાં. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિને પાનની કેબીન છે. બિમારીથી કંટાળીને આમ કર્યાનું પોલીસને જણાવાયું હતું.

(4:01 pm IST)