Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ભાજપ દ્વારા વોર્ડના તમામ બુથોમાં અટલજીને પુષ્પાંજલી

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન શ્રધ્ધૈય શ્રી અટલબીહારી બાજપાઇ માત્ર રાજકીય વિચારધારા સાથે નહીં પરંતુ રાષ્ટ્રવાદની વિચારધારા અને સર્વજન હિતાય, સર્વજન સુખાય સાથે રાષ્ટ્ર માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યુ છે, ત્યારે આવા લોકહૃદય સમ્રાટ અટલજીને શ્રધ્ધાંજલી આપવા શહેર ભાજપ દ્વારા તેમના જન્મ દિવસે વિવિધ સેવાકીય કાર્યો થકી તેમજ તેઓના પ્રગતિશીલ અને લોકપ્રિય શાસન અને જનકલ્યાણ યોજનાઓને લક્ષમાં રાખી 'સુશાસન દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના તમામ વોર્ડના બુથમાં અટલજીને પુષ્પાંજલી અર્પણ કરી તેમને શ્રધ્ધાસુમન અર્પિત કરવામાં આવ્યા હતાં. આ તકે ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઇ બોરીચા, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, મહીલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી  પુનીતાબેન પારેખ સહિતના અગ્રણીઓ, તેમજ શહેર ભાજપની વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી અટલજીને પુષ્પાંજલી અર્પણ કરી શ્રધ્ધાસુમન પાઠવ્યા હતાં.

(3:59 pm IST)