Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાષ્ટ્રપતિનું વિમાન લેન્ડીંગ થયા બાદ રન-વે પટ્ટી પાસેનું ઘાસ સળગી ઉઠતા દોડધામ

રાજકોટઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવીંદજી આજે બપોરે રાજકોટ આવી પહોંચ્યા તે પહેલા, રાજકોટ એરપોર્ટ પર રાઉન્ડ ધ કલોક સઘન ચેકીંગ તથા આખી રન-વે પટ્ટી ઉપર સફાઇ અભિયાન હાથ ધરાયું દરમિયાન રાષ્ટ્રપતિનું વિમાન લેન્ડીંગ થયા બાદ તુર્તજ રન-વે પટ્ટી પાસેનું ઘાસ ભડભડ સળગી ઉઠતા ભાડે દોડધામ થઇ પડી હતી, તુર્તજ ફાયર બ્રિગેડે ધસી જવું પડયું હતું અને પાણીનો જોરદાર મારો ચલાવી સળગતા ઘાસ-આગને બૂઝાવી દીધી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:46 pm IST)