Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

જનકલ્યાણ ટ્રસ્ટના સ્થાપનાદિનની સેવામય ઉજવણી : નિરાધાર બહેનોને રાશન વિતરણ

રાજકોટ : સમાજ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ધ્યેયથી સ્થપાયેલ જનકલ્યાણ ટ્રસ્ટના સ્થાપના દિવસની ઉજવણી સેવામય રીતે કરવામાં આવી હતી. જરૂરીયાતમંદ નીરાધાર વિધવા ૪૦ બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, બિલ્ડર મુળજીભાઇ ભીમાણી, કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઇ ડાંગર, વિનુભાઇ સિંહાર, દીલીપભાઇ સિંહાર, ચંદુભાઇ મૈયડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ સવજીભાઇ મૈયડે પ્રાસંગીક પ્રવચન કરી સંસ્થા દ્વારા કાર્યરત રાહતદરનું દવાખાનુ, લાયબ્રેરી, રકતદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, સર્વજ્ઞાતિ સમુહલગ્ન, વૃક્ષારોપણ સહીતની હાથધરાતી પ્રવૃત્તિઓની માહીતી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડી. કે. ભુત, વી. સી. પરમાર, અશોકભાઇ સેતા, શ્રી વીડજા, હસુભાઇ ચાવડા, ધીરૂભાઇ મૈયડ, મનુભાઇ પટેલ, આર. ડી. સોજીત્રા, રીન્કુભાઇ મૈયડ, લખનભાઇ સિધ્ધપુરા, વિમલ ડાંગર એડવોકેટ, દિનેશભાઇ ચુડાસમા, હસુભાઇ પરમાર, ગુણુભાઇ મીસ્ત્રી, કિરીટભાઇ મૈયડ, ઇન્દ્રજીતસિંહ ગોહીલ, કેતન મંડ એડવોકેટ, ભરત સોલંકી, જીતેશ મૈયડ, શંભુભાઇ રૂડકીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. મહીલા પાંખના શીતલબેન મૈયડ, ગીતાબેન સોજીત્રા, કાજલબેન સિધ્ધપુરા, બીનાબેન તેમજ મહીલા પાંખના અન્ય હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન અશોકભાઇ સાતાએ અને સમગ્ર સંચાલન આર. ડી. સોજીત્રાએ કર્યુ હતુ. અંતમાં આભારવિધિ રીન્કુભાઇ મૈયડે કરી હતી.

(3:51 pm IST)