Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

શનિવારે સુભાષ બાબુના મૃત્યુનું રહસ્ય ખોલશે ધૈવત ત્રિવેદી

રાત્રે ૮ાા વાગ્યે રાજકોટના આત્મીય કોલેજના ઓડીટોરીયમમાં પોતાના સંશોધનો રજુ કરશેઃ યુવા ભાઇ-બહેનો સહીત સહુ કોઇએ માણવા જેવો કાર્યક્રમ

તસ્વીરમાં અકિલા કાર્યાલયે વ્યાખ્યાન કાર્યક્રમ અંગે માહીતી આપતા આયોજકો શ્રી જતન ત્રિવેદી, શ્રી હિમાંશુ જોષી, શ્રી ઉમેશ દવે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૨૫: નેતાજી સુભાષચંદ્ર બોઝ વિષયક વ્યાખ્યાનનું તા.ર૮ ને શનીવારે રાત્રીના ૮.૩૦ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે અકિલા કાર્યાલયે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ આયોજન વિષે આયોજકોએ માહીતી આપી હતી.

આયોજકો જતન ત્રિવેદી, ઉમેશ દવે, હિતેષભાઇ જોશીએ જણાવ્યું હતું કે સમર હીલ ફ્રેન્ડસ દ્વારા તા.ર૮ને શનીવારે રાત્રીના ૮.૩૦ વાગ્યે આત્મીય કોલેજ ઓડીટોરીયમ, યોગીધામ, કાલાવડ રોડ ખાતે આયોજીત આ વ્યાખ્યાન કાર્યક્રમમાં નવલ કથાકાર, પત્રકાર, સુભાષ બાબુના રહસ્યમય મૃત્યુ સંબંધીત સંશોધનકાર ધૈવત ત્રિવેદી પોતાના વિચારો રજુ કરશે.

ગુમનામ શહાદતની ભીતરમાં કાર્યક્રમ અંતર્ગત નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુના રહસ્ય સંબંધીત સંશોધનાત્મક વ્યાખ્યાન પત્રકાર ધૈવત ત્રિવેદી રજુ કરશે.

આ કાર્યક્રમ દરમિયાન ધૈવત ત્રિવેદી લીખીત મેકિલન એસ્ટેટ (નવલકથા) અને વિસ્મય શ્રેણી (લેખ સંગ્રહ)ના બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવકો ઉપસ્થિત રહે તે માટે જુદી-જુદી કોલેજોમાં વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

જાહેર જનતા માટે આયોજીત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સમર હીલ ફ્રેન્ડસ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.વધુ વિગત માટે જતનભાઇ ત્રિવેદી મો.નં. ૯૯ર૪૩ ૪૬૭૩૪, ઉમેશભાઇ દવે  ૯૮૭૯૧ ૮૯૧૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:48 pm IST)