Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

ગીર ગાયોના સંવર્ધનમાં સિધ્ધેશ્વર ગૌશાળાની કામગીરી પ્રશંસનીયઃ બાવળીયા

રાજર્ષિ સેવાશ્રમ ખીરસરાની શુભેચ્છા મુલાકાતે રાજ્ય પશુપાલન કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની મહત્વકાંક્ષી યોજના 'નંદીધર' માટે સરકાર ગૌશાળાના સંચાલકોના સહયોગથી દૂધ ઉત્પાદકોના વિકાસ માટે કટીબધ્ધ

રાજ્યના પશુપાલન ખાતાના કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા ગાંધીનગર  પશુપાલન  અધિકારીઓ સાથે કાલાવડ રોડ પર આવેલ ખીરસરા નજીકના રાજર્ષિ સેવાશ્રમ (સિધ્ધેશ્વર ગૌશાળા)ની શુભેચ્છા મુલાકાતે આવ્યા તે સમયની તસ્વીર પ્રથમ તસ્વીરમાં રૂપાણી સરકારની મહત્વકાંક્ષી યોજના 'નંદીધર'ને અનુલક્ષીને ગીર ઘણખૂટ ત્થા અષ્ટાલ ગીર ઔલાદની ગીર ગાયોનુ નિર્દશન કરી રહેલા મંત્રી શ્રી બાવળીયા, નરેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઇ કોટડીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પશુપાલન અધિકારી ગોંધીનગર શ્રી વસાવા , શૈલેષ પટેલ, સાવલીયા દેવશીભાઇ ટાઢાણી, યશપાલસિંહ  જાડેજા , દિલીપસિંહ જાડેજા , હનીતસિંહ ઝાલા વગેરે નજરે પડે છે. નીચેની તસ્વીરમાં મંત્રી શ્રી કુંવરજીભચાઇ નંદીધર યોજના અંગે ઉચ્ચ અધિકારીઓ શ્રી વસાવા , શૈલેષ પટેલ, રેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઇ કોટડીયા સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપી રહેલા નજરે પડે છે. નીચેની તસ્વીરમાં મુલાકાતમાં જોડાયેલ તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિંહ જાડેજા, , ધારાસભ્ય સાગઠીયા મામલતદાર હીરપરા, ટીડીઓ કુ.મીરા કુમારી  સોમપુરા, સાવલીયા, જટાસણીયા વગેરે નજરે પડે છે. (૧૭.૧૫)

રાજકોટ તા.૨૫: ભારતીય સંસ્કૃતિમાં ગાય આસ્થાનાં પ્રતિક સાથે લાખો પશુપાલકો માટે આર્થિક ઉપાર્જનનું સાધન છે. ગુજરાતમાં ગીર તેમજ કાંકરેજી ગાયોની નસ્લ સંવર્ધન માટે રાજ્યનાં સંવેદનશીલ અને ગૌપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રત્યેક તાલુકાપ્રજિલ્લામાં નંદીઘર યોજના અમલી બનાવી છે. આ યોજનાનાં અનુસંધાને આજ રોજ રાજ્યનાં પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજકોટ ગ્રામ્યનાં ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાંગઠીયા, પશુપાલન વિભાગ ગાંધીનગરનાં ડો. વસાવા તથા ડો. શૈલેશ પટેલે લોધીકા તાલુકાના ખીરસરા ગામ પાસે મોટાવાડા રોડ ઉપર આવેલી રાજર્ષિ સેવાશ્રમ સંચાલિત સિદ્ધેશ્વર ગૌશાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન રાજ્ય સરકારનાં મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી, અધિકારીશ્રીઓ અને જિલ્લા-તાલુકાનાં પશુપાલન ડેરી વિભાગનાં સભ્યોશ્રીઓએ ગૌશાળામાં આવેલી અસલ ઔલાદની ગીર ગાયો તથા ૪૫ જેટલા ગીર ધણખૂટ નિહાળી રાજર્ષિ સેવાશ્રમ ગૌશાળાની પ્રશંસા કરી ગૌશાળાનાં સંચાલક શ્રી નરેન્દ્રસિંહ જાડેજાને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ડેરી ઉદ્યોગનાં વિકાસમાં સહકારી સંસ્થાઓ મહત્વની ભૂમિકા બજવી કૃષિ, ડેરી, પશુપાલન ક્ષેત્રે સામૂહિક વિકાસ કરી રહી છે. ગામડાઓનાં સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રૂપાણી સરકારે ગીર તેમજ કાંકરેજી ગાયોની નસ્લ સંવર્ધન થાય, અસલ ગીર તથા કાંકરેજી ગાયનાં સાત્વિક દૂધ ઉત્પાદનમાં વધારો થાય, દૂધ ઉત્પાદકોને પૂરતું વળતર સાથે લોકોને શુદ્ધ દૂધ મળી રહે તે હેતુસર નંદીઘર યોજના શરૂ કરી છે. એવું જણાવતા કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, રાજર્ષિ સેવાશ્રમ સંચાલિત સિદ્ધેશ્વર ગૌશાળામાં ૩૦૦ જેટલી અસલ ગાયો ખૂંટ નિહાળી આનંદની લાગણી થઈ રહી છે અને ગૌશાળાનાં સંચાલક શ્રી નરેન્દ્રસિંહ જાડેજાને અભિનંદન આપવાની ઈચ્છા થઈ રહી છે. દેશી ગાયો જતનપ્રસવર્ધનમાં સિદ્ધેશ્વર ગૌશાળાની કામગીરી પ્રશંસનીય છે. આગામી સમયમાં સિદ્ધેશ્વર ગૌશાળા તેના આસપાસનાં વિસ્તાર, ગ્રામ પંચાયત તેમજ દૂધ સહકારી મંડળીને આ પ્રકારે જ ધણખૂટ પૂરું પાડેતું રહે માટે ગુજરાત સરકારનું પશુપાલન વિભાગ અને ગૌસેવા આયોગ પૂરતી મદદ કરશે.

ડેરી ઉદ્યોગનાં વિકાસમાં ગૌશાળાઓ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. સિદ્ધેશ્વર ગૌશાળા જેવી શ્રેષ્ઠ ગૌશાળાથી નાના દૂધ ઉત્પાદકો, વિતરકો તેમજ ખેડૂતોને તેમની આજીવિકા ટકાવવામાં સહાયતા કરી રહી છે. ગુજરાતે છેલ્લા ૧પ વર્ષમાં દૂધ ઉત્પાદનક્ષેત્રે સરાહનીય કામગીરી કરી છે. સિદ્ધેશ્વર ગૌશાળાનાં માધ્યમથી દેશી ગાયોનું જતન સર્વધન કરી વર્ષોથી નરેન્દ્રસિંહ જાડેજા ગૌશાળા ધનખૂટ પૂરું પાડવાની વખાણવાલાયક કામગીરી કરી રહ્યાં છે. લોકોને શ્રેષ્ઠ ગુણવત્તાનાં દૂધ સાથે અસલ ગીર કાંકરેજી ગાયોની નસ્લ જળવાઈ રહે તે માટેનું પણ તેઓ કાર્ય કરી રહ્યાં છે ત્યારે રાજર્ષિ સેવાશ્રમ સંચાલિત સિદ્ધેશ્વર ગૌશાળાનાં સંચાલક શ્રી નરેન્દ્રસિંહ જાડેજાની કામગીરીને બિરદાવતા કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજકોટ ગ્રામ્યનાં ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા, જગદીશભાઈ કોટડીયા (ફાલ્કન પંપ), તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરિશચંદ્રસિંહ જાડેજા, લોધીકા તાલુકાનાં મામલતદાર શ્રી હિરપરા, ટી.ડી.ઓ. કુમારી મીરાબેન સોમપુરા, નંદીધરનાં સંચાલક શ્રી હનીતસિંહ ઝાલા, લોધિકા પશુપાલન વિભાગનાં અધિકારીશ્રી સાવલિયા, જાટાસણીયા, ભાજપ અગ્રણીશ્રી દેવસિંહભાઈ ધાધાણી, ગીરીરાજસિંહ જાડેજા (ધમલપર), દિલીપસિંહ જાડેજા (પીસીસી), યશપાલસિંહ જાડેજા (રાજકોટ મિરર) વગેરેએ લોધીકા તાલુકાના ખીરસરા ગામ પાસે મોટાવાડા રોડ ઉપર આવેલી રાજર્ષિ સેવાશ્રમ સંચાલિત સિદ્ધેશ્વર ગૌશાળાની શુભેચ્છા મુલાકાત  લીધી હતી.

(3:47 pm IST)