Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

પૂ.ધીરગુરૂદેવ અનુગ્રહિત કઠોર ઉપાશ્રયની ઉદ્ઘાટન વિધિ

રાજકોટઃ  શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર રાજકોટના ઉપક્રમે સુરત નજીક કઠોર ગામે ૧૫૦ વર્ષ  પુરાણા ઉપાશ્રયનું નુતનીકરણ પૂ.શ્રી ધીરગુરૂદેવના અનુગ્રહથી મુંબઇના શ્રીમતી નયનાબેન અજયભાઇ ખંધાર પરિવારે લાભ લીધેલ. તા.૨૪ના પૂ. વિમલાજી મ.સ. પૂ. પદ્માજી મ.સ.ઠાણા-૩ અને શ્રમણ સંઘના પૂ. રાજેમતીજી મ.સ.ની નિશ્રામાં ઉદ્ઘાટન પ્રસંગે મુંબઇથી ૭૦ ભાવિકો તેમજ સુરત, રાજકોટ, કાટકોલા, સાયણ, કીમ, નવસારી, કામરેજ, દિલ્હી, અમેરીકા, ધોરણપારડીના ભાવિકોની હાજરીથી ધર્મોત્સાહ છવાયો હતો.

(3:18 pm IST)