Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ગીતા વિદ્યાલયમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ

 ગીતા વિદ્યાલય જંકશન પ્લોટ ખાતે રામકૃષ્ણ આશ્રમ મેડીકલ સેન્ટરના સહયોગથી તાજેતરમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞનનું આયોજન કરાયુ હતુ. જેમાં વિવેકાનંદ આઇ કેર સેન્ટર આંખની હોસ્પિટલના નિષ્ણાંત આઇ સર્જન ડો. તનુજ લીંબાસીયા શાહ અને ડો. હિતેશ ગીલ્દરે સેવા આપી હતી. કેમ્પમાં ૧૧૦ જેટલા નાની મોટી વયના દર્દીઓની આંખના મોતિયાની તપાસ અને નિદાન કરવામાં આવ્યા હતા. મોતીયાના ૨૭ દર્દીઓને રામકૃષ્ણ આશ્રમનાી આંખની અદ્યતન હોસ્પિટલમાં વિનામુલ્યે ફેકો સર્જરીથી ટાંકા લીધા વગરના મોતિયાનું ઓપરેશન કરીને નેત્રમણી મુકવામાં આવ્યા હતા. આ નિઃશુલ્ક નેત્રયજ્ઞમાં રામકૃષ્ણ આશ્રમ અને ગીતા વિદ્યાલયના સ્વયંસેવકોએ સેવા આપી હતી.

(4:08 pm IST)