Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ખોડીયાર સોસાયટીમાં શ્વાસ ઉપડતા વૃધ્ધા રંજનબેન ઝાલાનું મોત

રાજકોટ તા ૨૫  : કોઠારિયા રોડ પર આવેલી ખોડીયાર સોસાયટીમાં શ્વાસ ઉપડતા રજપુત વૃધ્ધાનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ કોઠારિયા મેઇન રોડ, ખોડીયાર સોસાયટી શેરી નં.-૨ માં રહેતા રંજનબેન શાંતીભાઇ ઝાલા (ઉ.વ.૬૫) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે તેને શ્વાસ ઉપડતા તાકીદે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક રંજનબેનને સંતાનમાં ત્રણ પુત્ર છે. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.એન. જાડેજા તથા રાઇટર મેહુલભાઇ ડાંગરે કાર્યવાહી કરી હતી.

(3:40 pm IST)