Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

રાજકોટ વ્હોરા સામાજનમાં સમૂહ લગ્નોત્સવ સંપન્ન : ધર્મગુરૂના ભાઇની ખાસ ઉપસ્થિતિ

જસદણ, તા. રપ : રાજકોટમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા એક સમૂહ લગ્નત્સોવ યોજાયો હતો જેમાં નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડી નવજીવનનો પ્રારંભ કર્યો હતો. ખાસ કરીને આ સમૂહ લગ્નોત્સવ સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર ડો. સૈયદના સાહેબના નાના ભાઇ અમ્મારભાઇ સાહેબ સુજાઉદ્દીન ઉપસ્થિત રહેતા સૌનામાં સુગંધ ભળી હોય એવો ઘાટ ઘડાયો હતો. રાજકોટની નૂર મસ્જિદમાં યોજાયેલા સમૂહલગ્નમાં મુંબઇથી ખાસ પધારેલા અમ્મારભાઇ સાહેબ તેઓની સદારત હેઠળ ખુશીની મજલીશ થઇ હતી ત્યાર બાદ નિકાહ જુલુશ અને જમણ થયું હતું અને સમૂહ લગ્નોત્સવ પૂર્ણ થયો હતો દાઉદી વ્હોરા સમાજમાં દેશ અને દુનિયામાં જયાં વ્હોરા બિરાદરોનો વસવાટ હોય છે ત્યાં વર્ષોથી સમૂહ લગ્ન રસમે સૈફીના નામથી યોજાય છે આથી સમાજમાં ખર્ચ ઓછો અને સમયનો બચાવ થાય છે. રાજકોટમાં યોજાયેલ સમૂહલગ્નમાં સેવાભાવિઓની એક ટીમ ઘણા દિવસોથી આ કાર્ય સફળ બને તે માટે કામ કરતી હતી જે આજે પૂર્ણ થતાં દરેક સભ્યોના ચેહરા પર આનંદ વ્યકત થતો દેખાયો હતો. એમાંય મુંબઇથી અમ્મારભાઇ સાહેબ પધારતા લગ્નોત્સવમાં ચાર ચાંદ લાગી ગયા હતાં. લગ્નોત્સવમાં વર-કન્યા બન્ને પક્ષ આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક આગેવાનો પણ ઉપસ્થિત રહી માનવતાવાદી અમ્મારભાઇ સાહેબના દીદાર કર્યા હતાં અને આયોજકોના કાર્યને બિરદાવ્યું હતું.

સમાજમાં જયાં લોકોને ઓછા ખર્ચમાં વધુ ફાયદો થાય અને દેશને ભારણ ઓછું રહે એવા દરેક કામોમાં અમ્મારભાઇ સાહેબ મોખરે હોય છે તેથી તેવો છેક મુંબઇથી રાજકોટ લગ્નોત્સવમાં પધારી રાજકોટ વ્હોરા સમાજને હિંમત આપી હતી. આ લગ્નોત્સવને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓની ભારે નોંધ લેવામાં આવી હતી.

(12:06 pm IST)